→ ગુજરાતનાં ગવર્નર : ગ્યાસુદ્દીન તુઘલકે મલિક તાજુદ્દીનને “ઝફરખાન”નો ખીતાબ આપીને ગુજરાતનાં ગવર્નર તરીકે નિમણૂક કરી હતી.
→ મોંગલોને પરાજિત કરવાને કારણે મલિક- એ ગાઝી નામે પ્રખ્યાત થયો હતો.
→ વહીવટી સુધારા: તેણે બંગાળના વહીવટી દ્રષ્ટિકોણ ત્રણ ભાગલા પાડ્યા – લખનૌતી, સોનારગાંવ અને સતગાંવ
→ કૃષિક્ષેત્રે સુધારા : તેણે સિંચાઇ વ્યવસ્થા સુદઢ કરાવી હતી અને નહેરોનું નિર્માણ કરાવ્યુ.
→ અન્ય સુધારા : તેની ટપાલ વ્યવસ્થા શ્રેષ્ઠ હતી . (ડાકચોકી)
→ તેણે ન્યાયવ્યવસ્થા માં સુધારા કર્યા હતાં.
→ કૂવાઓ અને નહેરોનું નિર્માણ કરાવ્યુ.
→ સૌપ્રથમ વાર દુકાળ નીતિ બનાવી.
→ મધ્યમ પંથની નીતિ : ગ્યાસુદ્દીન ઉદારતાની નીતિ અપનાવી હતી.
→ જેને બરનીએ રસ્મોનીયમ અથવા મધ્યમ પંથની નીતિ કહી હતી.
→ અલાઉદ્દીન ખલજીના સમયમાં પંજાબમાં સૂબા તરીકે મહત્વપૂર્ણ કાર્ય કર્યું.
સ્થાપત્ય
→ તેણે તુઘલકાબાદ નામે શહેરની સ્થાપના દિલ્હીમાં કરી હતી.આ નગરમાં એક છપ્પન કોટ નામનો કિલ્લો પણ છે. તેમાં પ્રવેશ માટે 52 દરવાજાનું નિર્માણ કરાયું હતું.
→ ગ્યાસૂદ્દીન તુઘલકનો મકબરો
→ આ મકબરાનું નિર્માણ ગ્યાસૂદ્દીન તુઘલકે દિલ્હીમાં કરાયું હતું.
→ આ સંપૂર્ણ ઇમારત લાલ પથ્થરોથી બનેલી છે.
→ તેમજ ગુંબજ સફેદ આરસપહાણનો છે.
→ ઉપરના ભાગમાં આમળા અને કમળનો પ્રયોગ કરાયો હતો.
→ તેણે બંગાળ વિજય કર્યો. વિજય બાદ તેના પુત્ર મહમ્મદ તુઘલક - જુનાખાને તેનું સન્માન કરવા બનાવેલા મંચ પર પડતાં અકસ્માતે તેનું મૃત્યુ થયું. તેણે બંગાળના વહીવટી દ્રષ્ટિકોણથી ત્રણ ભાગલા - લખનૌતી, સોનારગાવ અને સાતગાવ પાડ્યા.
→ ગ્યાસુદ્દીન જ્યારે અફઘાનપુર નામના ગામે આરામ કરી રહ્યો હતો, ત્યારે લાકડાનો મહેલ તૂટી પડવાને કારણે ગ્યાસુદ્દીન તુઘલકનું મોત થયું હતું.
→ ઈતિહાસવીદ્દો તેનું મૃત્યુ અકસ્માતમાં ખપાવવાને બદલે તે જૂનાખાનનું કાવતરું હોવાનું માને છે.
→ ઇબ્નબતૂતા અરબી મુસાફર દ્વારા આરોપ લખાયેલો હતો કે આ ષડયંત્ર જૂનાખાન દ્વારા કરાયું હતું.