સાલુવ વંશ
સાલુવ વંશ
નરસિંહ સાલુવ
→ નરસિંહ સાલુવ, સાલુવ વંશનો હોવાથી તેનો રાજવંશ સાલુવ વંશ તરીકે ઓળખાયો.
→ તે વિજયનગરના સાલુવ વંશનો સંસ્થાપક હતો.
→ પુત્ર : તિમ્મ અને ઇમ્માડી
→ તેનો સેનાપતિ નરસ નાયક હતો.
→ નરસિંહ સાલુવે કરેલા વિજયનો ઉલ્લેખ સંસ્કૃત ગ્રંથો “સાલુવાભ્યુદય”, “રામાભ્યુદય” અને તેલુગુકાવ્ય ગ્રંથ "જેમિની ભારતમુ” માં છે.
→ તેણે આરબ વેપારીઓ પાસેથી વધારેમાં વધારે ઘોડા આયાત કરવાની નીતિને પ્રોત્સાહન આપ્યું હતું.
તિમ્મ અને ઇમ્માડિ નરસિંહ
→ તિમ્મ અને ઇમ્માડી નરસિંહ બંને નરસિંહ સાલુવના પુત્ર હતાં.
→ નરસિંહ સાલુવે કરેલી વ્યવસ્થા અંતર્ગત નરસ નાયકે નરસિંહ સાલુવના મોટા પુત્ર તિમ્મ અને ત્યારબાદ નાના પુત્ર ઈમ્માડિને ગાદી પર બેસાડયો.
→ ઈમ્માડી નરસિંહ આ વંશનો અંતિમ શાસક હતો.
બીજો સત્તાગ્રહણ
→ નરસ નાયકનાં પુત્ર વીર નરસિંહે સાલુવવંશી ઇમ્માડી નરસિંહને પદ્ચ્યુત કરીને ગાદી કબ્જે કરી.
→ ઇમ્માડી નરસિંહ પેનુગોંડામાં નજરકેદ હતો.
→ આ બનાવ વિજયનગર ઈતિહાસમાં બીજા સત્તાગ્રહણ તરીકે ઓળખાય છે.