ગુપ્તયુગની કલા
ગુપ્તયુગની કલા
→ ગુપ્તકાલીન કલા મોટેભાગે હિન્દુ અને બૌદ્ધ ધર્મ આધારિત હતી.
→ બૌદ્ધધર્મે ગુપ્તકાલીન કલાને ખૂબ જ પ્રભાવિત કરી છે.
→ મથુરા, સારનાથ, અજંતા અને ઇલોરા ગુપ્તકાલીન કલાના વિશ્વવિખ્યાત સ્થળો છે.
ગુફા
અજંતાની ગુફાઓ
→ અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં સ્થિત છે.
→ કુલ 29 ગુફાઓમાંથી 16, 17 અને 19 ગુપ્તકાળ સંબંધિત ગુફાઓ છે.
→ સંયુક્ત રાષ્ટ્ર (UN) એ અજંતાની ગુફાઓને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરી છે.
અજંતાની ચિત્રકારી
→ મહાત્મા બુદ્ધ અને તેમની સાથે સંકળાયેલ જાતક કથાઓનું વર્ણન કરતાં ચિત્રો છે.
→ 1500 વર્ષ કરતાં પણ વધારે જૂનાં આ ચિત્રોના રંગો આજે પણ એવા ને એવા છે.
બાઘની ગુફાઓ
→ મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં વિંધ્ય પર્વતને કાપીને બાઘની ગુફાઓનું નિર્માણ થયું.
→ વિરસેન ઉદયગીરી ગુહા લેખના રચનાકાર હતાં.
મંદિરો
→ નિર્માણ : શરૂઆત ગુપ્તકાળમાં જ થઈ.
→ નાગરશૈલી : ઉત્તર ભારતમાં મંદિર સ્થાપત્યકલા
→ સૌપ્રથમ મંદિર : નાગરશૈલી ના બે સુવિખ્યાત મંદિરો છે. જેના કેન્દ્રમાં ભગવાન વિષ્ણુ છે.
- ભીતર ગામ : ઉત્તર પ્રદેશના કાનપુર (UP) – ઈંટથી બનેલ
- દેવગઢ : ઝાંસી (MP) – પત્થરથી બનેલ
મુખ્ય મંદિર
| મંદિર | સ્થળ |
| ધમ્મેખ સ્તૂપ | સારનાથ (UP) |
| શિવ મંદિર | ભૂમરા (નાગોદ, MP) |
| પાર્વતી મંદિર | નચનાકુઠાર (MP) |
| દશાવતાર મંદિર | દેવગઢ (ઝાંસી) |
| ભિતરગાંવ મંદિર | કાનપુર (UP) |
| વિષ્ણુ મંદિર | તીગવાં, જબલપુર (MP) |
| વિષ્ણુ મંદિર | ઉદયગિરિ (વિદિશા) |
| શિવ મંદિર | અહિચ્છત્ર (બહેલી, UP) |
| લક્ષ્મણ મંદિર | સિરપુર (ઈંટોથી નિર્મિત) |
મુદ્રા અને સિક્કા
→ ગુપ્ત સમ્રાટોનું વર્ણન અને ચિત્રણ જોવા મળે છે.
→ સમુદ્ર ગુપ્તના વીણા વગાડતા સોનાના સિક્કા ગુપ્તકાળમાં સંગીતનો પરિચય આપે છે.
→ અશ્વમેઘ યજ્ઞની મુદ્રાઓ પણ પ્રચલિત કરી હતી.
→ વિષ્ણુ અને ભગવાન શંકરની પૂજા- ઉપાસના સાથે સંકળાયેલ મુદ્રાઓ અને સ્થાપત્યો પણ મળી આવ્યા છે.