→ ધોળાવીરાના મોટા રણ વિસ્તારમાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં લુણી નદીના કિનારે આવેલું છે.
→ સ્થાનિક લોકો તેને “કોટડા” તરીકે ઓળખાવે છે.
→ ત્યાંના પ્રાચીન નગરનાં ટીંબાની શોધ ઈ.સ. 1900માં થઈ હતી, પરંતુ વ્યવસ્થિત ઉત્ખનન 1967-68માં જે.પી. જોશી (જગપતિ જોશી) દ્વારા થયેલું હતું.
→ ઈ.સ. 1990થી વર્તમાન સમય સુધી તેનું ઉત્ખનન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા થયું. તેમાં મહત્વનો ફાળો આર.એસ. બિષ્ટનો રહેલો છે.
→ પ્રથમ નંબરની ભારતમાં સૌથી મોટી હડપ્પીય વસાહત : રખાઈગ્રહી (હરિયાણા)
→ દ્વિતીય નંબરની ભારતમાં સૌથી મોટી હડપ્પીય વસાહત : ધોળાવીરા (કચ્છ, ગુજરાત)
→ આ નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
મુખ્ય મહેલ કે જેને 'સિટાડેલ' કહે છે. તેનું ખૂબ જ મજબૂત કિલ્લાથી રક્ષણ કરવામાં આવ્યું છે.
મધ્ય નગર
નીચલું નગર
→ ધોળાવીરાના મહેલના ચારેય દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે કયાંય જોવા મળતું નથી.
નગરરચના
→ અંદાજે વિસ્તાર
પૂર્વ – પશ્વિમ : 771 મીટર
ઉત્તર- દક્ષિણ : 617 મીટર
ક્ષેત્રફળ : 100 હેકટર
→ તેના મુખ્યત્વે ત્રણ વિભાગો
ગઢ (દુર્ગ) : શાસક અધિકારીઓ
નીચલું નગર : સામાન્ય નગરજનો
મધ્ય નગર : અન્ય અધિકારીઓ
→ દરબારી ગઢ ઊંચાઈ ઉપર આવેલો છે. એ મજબૂત ગઢથી સુરક્ષિત છે. એને ચાર મુખ્ય દરવાજા છે.
→ ઉપલા નગરને પણ રક્ષણાત્મક દીવાલ છે. અહીં બે થી પાંચ ઓરડવાળા મકાન મળ્યા છે.
→ મધ્ય નગર અને ગઢ વચ્ચે એક મેદાન મળેલું છે.
→ નીચલા નગરનાં મકાન હાથે ઘડેલી અણધડ ઈંટોના બનાવેલાં છે.
→ 5000 વર્ષ જૂની વાવ પણ ધોળાવીરામાંથી મળી છે.
લોકજીવન અને સંસ્કૃતિ
→ લાલ કે ગુલાબી રંગના અને પ્રાય: હાથે ઘડેલા મૃતપાત્ર પ્રાપ્ત થયા છે.
→ અહીંયાથી મોટું સ્નાનાગાર મળ્યું છે.
→ અહીંથી ધાતુ ગાળવાની ભઠ્ઠી પણ મળી આવી છે.
→ અહીં ઘરેણાં બનાવવાની દુકાનોની મોટી હાર પણ મળી આવી છે.
→ અહીંથી વિવિધ ઓજારો બનવવાનાં સાધબો મળ્યા છે.
→ મળતા અવશેષો સૂચવે છે કે ધોળાવીરા એ વેપાર –વાણિજ્યનું મોટું કેન્દ્ર હોવું જોઈએ.
→ અહીં શંખ,ધાતુની બંગડીઓ, મણકા, વીંટીઓ, સોનાનાં ઘરેણાં, વિવિધ પ્રકારના મણકા, તાંબાની ભઠ્ઠી, ઓજારો બનવવાનાં ઉપકરણો વગેરે પ્રાપ્ત થયાં છે.
→ ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરનાં “સાઈનબોર્ડ”ને વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ માનવામાં આવે છે.
→ અહીંથી હડપ્પીયન લિપિ જેવી લિપિનાં લખાણ પણ મળ્યા છે, જે વિશ્વની પ્રાચીન લિપિમાં સ્થાન પામ્યા છે.
→ ઉત્ખનન દરમિયાન ધોળાવીરામાં અવનવા ભાવો વ્યક્ત કરતાં મુખવટાઑ મળી આવ્યા છે. જે બતાવે છે કે ધોળાવીરામાં નાટ્યકલા હતી. આમ, નાટ્યકલા ભારત ગ્રીસ અને રોમન કરતાં ઘણાં વર્ષો આગળ હતું.
→ ભૂકંપ પછી મકાનની બંધની ચોરસ કે લંબચોરસની બદલે ગોળ બાનવવામાં આવતા.
→ ધોળાવીરામાંથી પોલીશદર સફેદ પાષાણખંડ મળ્યા છે.
→ અહિયાં કૃત્રિમ ડેમ બાનવવામાં આવેલો છે.
→ ધોળાવીરા પણ હડપ્પા સંસ્કૃતિનાં નવા નગરોની જેમ સમાંતરભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે.
→ નગરના મધ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનું તળાવ (રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ), કૃત્રિમ ડેમ, ન્હાવાનો મોટો હોજ, વાવ તેમજ વપરાયેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ અહીં જોવા મળે છે.
→ મહેલમાં એક મોટો ટાંકો છે જેમાં ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા પણ અહીં જોવા મળે છે.
→ અહીંથી રમત-ગમતના વિશાળ મેદાનો પણ મળી આવ્યા છે.
→ લોથલમાં જે રીતે મૃતદેહો ભેગા દફનાવવાની પ્રથા જોવા મળે છે તે રીતે અહીં અગ્નિદાહ આપ્યા પછી વધેલા અવશેષોને દફનાવવામાં આવતા હતા.
નગરનું પતન
→ આ વસાહતનો સમય ઈ.સ. પૂર્વે 2500 થી 1900 સુધીનો માનવામાં આવે છે.
→ કચ્છમાં મળેલું હડપ્પીયન સંસ્કૃતિનું આ નગરનું પાટણ કોઈક કુદરતી ઉપદ્રવને લીધે થયું હોય એવું માનવામાં આવે છે.
અન્ય તથ્યો
→ ઇસરો એ સેટેલાઇટની મદદથી ધોળાવીરા થી 24 કિલોમીટર દૂરની મચ્છીબેટ બોર્ડર આઉટપોસ્ટ પાસે મીઠાના અગરની નીચે આવેલા “મરુડા ટક્કર” નામની ટેકરીઓમાંથી 15000 વર્ષ જૂના નગરની શોધ કરી છે.
→ તે પાકિસ્તાનથી માત્ર 12 કિલોમીટર જેટલી દૂર છે.
→ સૌપ્રથમ શોધ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા એ ઈ.સ. 1997માં કરેલી હતી.