ગૃહસેન | Grihasena

ગૃહસેન
ગૃહસેન (ઈ.સ. 555 - ઈ.સ. 570)


→ ગૃહસેન એ ધરપટ્ટ્નો પુત્ર હતો.

→ તે “મહાસામત” જેવા કોઈ ગૌણ બિરુદ ધારણ કરતો નથી.

→ મહારાજાધિરાજ / મહારાજ ઉપનામ ધારણ કર્યું.

→ તે સામાન્ય રીતે પરમ માહેશ્વર (શિવ ભક્ત) હતો છતાં પ્રસંગત : તેને “પરમ ઉપાસક” એટલે કે બુદ્ધનો ઉપાસક તરીકે પણ ઓળખાવાતો.

→ નંદી વાળા તામ્રપત્ર બહાર પાડ્યા.

→ તેને પ્રજાના હ્રદયનું રંજન કરી “રાજા” શબ્દ સાર્થક કરેલો. એ તેની લોકપ્રિયતા દર્શાવે છે.

→ તેના સમયમાં ગુપ્ત સમ્રાટોની સત્તા અસ્ત પામી હતી. આ સંજોગોમાં મહારાજ ગૃહસેને મૈત્રક રાજ્યની સંપૂર્ણ સ્વતંત્રતા સ્થાપી લાગે છે.

→ આનર્ત પ્રદેશ જીત્યો હતો.

→ ગૃહસેને કન્નોજના મૌખરી વંશના રાજા “ઈશ્વરવર્મા”ને જે ગિરનાર સુધી ઘસી આવ્યો તેમને હાંકી કાઢવામાં સફળ રહ્યા હતા.

→ ગૃહસેનના કુલ 5 લેખો મળ્યા છે. 3 તામ્રપત્ર અને 2 શિલાલેખ

→ ત્રણેય તામ્રપત્ર બૌદ્ધ વિહારોને આપેલા દાન માટેના છે, તેના ત્રણમાંથી 2 દાનપત્રો તેની ફોઈની દીકરી દુદા અને 1 દાનપત્ર પૂજ્ય મિમ્માને વિહાર બનાવવા આપ્યું હતું.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post