ફિરોજશાહ તુઘલક | Firoz Shah Tughlaq

ફિરોજશાહ તુઘલક
ફિરોજશાહ તુઘલક (ઇ.સ. 1351 - ઇ.સ. 1388)

રાજયાભિષેક : મુહમ્મદ બાદ તેના પિતરાઇ ભાઈ ફિરોજ તુઘલકનો રાજયાભિષેક કરવામાં આવ્યો.

ઉપાધિ : આધુનિક ઈતિહાસકાર એલફિન્સટને તેને સલ્તનત યુગનો અકબર કહ્યો છે.

શાસન : ઇ.સ. 1351 થી 1387

આત્મકથા : કુતુહત – એ- ફિરોજશાહી (ફારસી) (દિલ્હી નો એકમાત્ર સુલ્તાન જેને પોતાની આત્મકથા લખી)

સિક્કા : શશગની

→ અધ્ધા (Half જીતલના 50 %) અને બીપ (પા જીતલના 25%) નામના તાંબા અને ચાંદીના મિશ્રિત સિક્કાઓનું ચલણ શરૂ કર્યું હતું.

→ મંત્રી → ખાને – જહાં મકબૂલ

દરબારી ઈતિહાસકાર
→ શમ્સે – સિરાઝ – અફિફ
→ ઝિયાઉદ્દીન બરની ( રચના : તારીખ – એ – ફિરોજશાહી, ફતવા – એ- જહાંદારી)


સ્થાપત્ય

→ ફિરોજશાહે હિસાર, ફિરોજાબાદ, ફિરોજશાહ કોટલા કિલ્લો, ફતેહાબાદની સ્થાપના કરી.

→ ફિરોજશાહ કોટલા કિલ્લામાં એક મોટી જામા મસ્જિદ તેમજ કેટલીક અન્ય ઇમારતો દરગાહ – એ – શાહ આલમ, કાલી મસ્જિદ, બેગમપુરી મસ્જિદ વગેરે આવતી હતી.

→ તેને મુહમ્મદ બિન તુઘલક (જૂના ખાં) ની સ્મૃતિમાં જૌનપુરની સ્થાપના પણ કરી હતી.

→ ફિરોજશાહે તાશ – એ- ઘડિયાળ અને એક જળઘડિયાળનું પણ નિર્માણ કરાવ્યુ હતું.

→ તેણે અશોકના બે સ્તંભોને પણ દિલ્હીમાં મંગાવ્યા હતા. તેમાંથી એક મેરઠ અને એક ટોપરા (પંજાબ) થી લવાયો હતો.

→ ફિરોજશાહ તુઘલકના મકબરાનો ગુંબજ અષ્ટકોણીય ડ્રમ પર આધારિત હોવાથી એક વિશિષ્ટ સ્થાપત્યનો નમૂનો ગણાય છે.

→ ફિરોજશાહ તુઘલકે સૌથી વધુ નહેર બંધાવી હતી.

→ નવા કારખાના શરૂ કર્યા અને તેના માટે ગુલમોની ભરતી કરી . દીવાનો માટેનો આ વિભાગ “દીવાન એ બંદગાહ” બનાવ્યો.

→ તેણે ઓરિસ્સાનું જગન્નાથ મંદિર તોડી અને લૂટયું.

ફિરોજશાહને સલ્તનત યુગનો અકબર કહેવામાં આવે છે.

→ તેણે ફિરોજશાહ કોટલા કિલ્લો, હિસાર, જોનપુર, ફિરોઝાબાદ, ફતેહાબાદ જેવા શહેરો વિકસાવ્યા.

→ તેણે પોતાના વારસદાર તરીકે નાસીરુદીન મોહંમદ તુઘલકને જાહેર કર્યો.


ધાર્મિક નીતિ

→ દીવાન એ ખૈરાત / ઇસ્તિયાક

→ નિર્ધન મહિલાઓ અને બાળકોની આર્થિક સહાયતા માટે આ વિભાગની સ્થાપના કરી હતી

→ આ વિભાગ દાનધર્મ અને ધાર્મિક બાબતોને લગતો હતો.


રોજગાર

→ તેણે બેરોજગાર માટે રોજગાર વિભાગની સ્થાપના કરી હતી.


કર વ્યવસ્થા

ખરાજ

→ લગાન કે મહેસુલ

→ હિન્દુઓ પરનો જમીનકર

→ ઉત્પાદકતાનો 1/3 થી ½ ભાગ

ખુમ્સ

→ યુદ્ધમાં લૂંટાયેલા માલ પર લાગનારનો કર હતો.

→ યુદ્ધમાં લૂંટાયેલા ધનનો 1/5 ભાગ ખજાનાનો અને 4/5 ભાગ સૈનિકોનો રહેતો હતો.

જજિયો

→ હિન્દુઓ પર ધાર્મિક કર

→ બ્રાહ્મણો પાસેથી પણ કર વસૂલવામાં આવતો હતો.

જકાત

→ સંપત્તિ પરનો કર

→ આવકનો 2.5 % ભાગ મુસ્લિમો પાસેથી

અશ્ર

→ મુસ્લિમો પરનો જમીન કર

→ ઉત્પાદકતાનો 1/10 ભાગ

→ હક – એ શર્બ

સિંચાઇ

→ જે ઉપજનો 1/10 ભાગ રહેતો હતો

→ ફિરોજશાહ તુઘલકે સરકારી ઋણ માફ કરી દીધું હતું.

મહેસૂલ (લગાન)

→ કુલ પાક ઉત્પાદનનો ½ થી 1/3 ભાગ


ગુજરાત

  • ફિરોજશાહ તુઘલકના સમયમાં ગુજરાતના સૂબાઓ (ગવર્નર)

  • સૂબો વર્ષ
    નિઝામ –ઉલ - મુલ્ક 1351 – 1362
    ફઝરખાન ફારસી 1362 – 1372
    ઝફરખાન 2 / દરિયાખાન 1372 – 1374
    શમ્સુદ્દીન દામધાની 1374 – 1380
    ફતેહ – ઉલ – મુલ્ક 1380 – 1387


    → સૂબો ફતેહ – ઉલ – મુલ્ક બળવાન થતો જતો હતો. તેથી તેને તાબામાં રાખવા માટે “ઝફરખાન” ને ગુજરાતમાં મોકલવામાં આવ્યો હતો.

    → ફતેહ – ઉલ – મુલ્ક અને ઝફરખાન વચ્ચે યુદ્ધ થયું હતું અને તેમાં ઝફરખાન વિજયી બન્યો.

    → જે મેદાનમાં ઝફરખાનની જીત થઈ ત્યાં તેણે “જીતપુર” નામનું નાગર વસાવ્યું.


    → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    Previous Post Next Post