મૌર્ય શાસનવ્યવસ્થા
મૌર્ય શાસનવ્યવસ્થા
વહીવટીતંત્ર
→ કેન્દ્રિય વડો – રાજા
→ પ્રાંતીય વડો – માંડલિક (સૂબો, રાજ્યપાલ)
→ પ્રાદેશિક વડો – સ્થાનિક
→ ગ્રામ્ય વહીવટી વડો – ગ્રામીણ
કેન્દ્રિય વહીવટીતંત્ર
→ કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ ચન્દ્ર્ગુપ્ત મૌર્યના 27 ખાતાં.
→ રાજા – રાજ્યતંત્ર – વહીવટી તંત્રનો વડો
કાર્ય
→ મંત્રીમંડળની નિમણૂક કરતો.
→ કરવ્યવસ્થા, કાયદો, ન્યાય, યુદ્ધ અને વિદેશી બાબતોમાં રાજાનો નિર્ણય અંતિમ
રાજકુમાર
→ મુખ્યમંત્રીની અને રાજાની ગેરહાજરીમાં રાજયનો વહીવટ
મંત્રી પરિષદ
→ મંત્રી પરિષદમાં અનેક મંત્રીઓ કાર્ય કરતા હતા.
→ આ મંત્રીઓને અમાત્ય, મહામાત્ર અને અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે.
→ દરેક વિભાગના ટોચના અધિકારીઓ “તીર્થ” તરીકે ઓળખાતા હતા.
→ મહામંત્રી : મંત્રીમંડળ માં સ્થાન અગત્યનું હોય છે.
→ સમાહર્તા : મહેસૂલ ખાતાનો મંત્રી
→ પ્રશસત્રી : પરરાજયો સાથેના સંબંધોના લગતા ખાતાનો મંત્રી
→ સેનાની : લશ્કરનું ખાતું સંભાળતો
→ સર્વોચ્ચ સેનાધિપતિ : રાજા
→ પુરોહિત : ધર્મખાતાનો મંત્રી
→ સંનિધાત : કોષ્ઠાગાર (કોઠાર, કોશ) નો મંત્રી
→ સૌથી મોટો અધિકારી : મહામંત્રી,પુરોહિત, સેનાની અને યુવરાજ
પ્રાંતીય વહીવટીતંત્ર
→ પ્રાંતીય, પ્રાદેશિક અને ગ્રામ્ય વહીવટ કેન્દ્રિય નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યાં હતાં.
પ્રાંત (મંડળ વિભાગ)
→ વડો : માંડલિક
→ અન્ય નામ : સૂબો, રાજયપાલ
→ આ પદ ઉપર મોટે ભાગે રાજકુમારોની નિમણૂંક કરવામાં આવતી હતી.
જિલ્લો
→ વડો : સ્થાનિક
→ અન્ય નામ : સમાહર્તા
→ કાર્ય : મહેસૂલ ઉધરાવવું, કાયદો અને વ્યવસ્થા
→ જિલ્લો સ્થાનીય કહેવાતો.
→ સમાહર્તા આધુનિક ભારતમાં કલેકટર સમકક્ષ હતો.
→ વહીવટી તંત્રનો વડો હતો.
→ સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર તેના હાથ નીચે હતું.
તાલુકો
→ વડો : ગોપ
→ અધિકારીઓમાં સૌથી નાનો ગોપ હતો, દસ ગામને સંભાળતો
→ તાલુકો, જેને “સંગ્રહણ” કહેતો.
ગામ
→ વડો : ગ્રામીણ
→ ગામનો મુખ્ય અધિકારી
સૈન્ય વ્યવસ્થા
→ લશ્કરી સમિતિ (ઇન્ડિકા ગ્રંથ મુજબ)
→ સભ્યો : 30
→ વડો : સેનાની
→ સર્વોચ્ચ સેનાપતિ : રાજા
→ અંતપાલ : કિલ્લાની સુરક્ષા કરનાર ( મેગેસ્થનિસની નોંધ)
→ ગ્રીક લેખક જસ્ટિસના મત અનુસાર ચંદ્રગુપ્ત મૌર્યની સેનાના છ વિભાગ હતાં.
→ પાયદળ (6 લાખ), અશ્વદળ (30 હજાર), હાથીદળ (9 હજાર), રથદળ (8 હજાર), નૌકાસેના, સેવાદળ
પાટલીપુત્ર વહીવટી તંત્ર
→ રાજધાની : પાટલીપુત્ર
→ સભ્યો : કુલ 30
→ પાંચ – પાંચ સભ્યોની 6 સમિતિઓ પાટલિપુત્રનું વહીવટી તંત્ર સંભાળતી
→ મુદ્રા વિભાગ : આધુનિક સમયમાં જેને આપણે પાસપોર્ટ વિભાગ કહીએ છીએ તે
→ વહીવટી બોર્ડ : વહીવટી માટે બોર્ડ રચવામાં આવ્યાં.
મૌર્યયુગની ન્યાયવ્યવસ્થા
→ સર્વોચ્ચ ન્યાયાધીશ : રાજા
→ સહાયક ન્યાયાધીશો : રાજા નિમણૂક કરતાં
→ પ્રાંત અને તાલુકા : ન્યાયનું કાર્ય કરનાર અધિકારીઓ હતાં
→ ગ્રામ્ય : પંચાયત અદાલતનું કાર્ય કરતી.
અદાલતો
→ ધર્મસ્થિત : આ અદાલત દીવાની કાર્ય સાથે સંકળાયેલી હતી.
→ કંટકશોધન : આ અદાલત ફોજદારી કાર્ય સાથે સંકળાયેલી હતી.
→ ફોજદારી ગુના માટે આકરી સજાઓ હતી.