અકબરના નવ રત્નો | Akbara na nav ratno

અકબરના નવ રત્નો
અકબરના નવ રત્નો

બિરબલ

→ રાજપૂત સરદાર, જેને રાજા તેમજ કવિપ્રિયની ઉપાધિ પ્રદાન કરી હતી.

→ તેઓ પોતાના વાક્ચાતુર્ય તેમજ વાક્પટુતા માટે પંકાયેલા હતા.

→ યુસુફ્ઝઈ કાબિલા પર આક્રમણ દરમિયાન યુદ્ધમાં લડતી વખતે બિરબલનું નિધન થયું હતું.

ટોડરમલ

→ ટોડરમલ પહેલાં શેરશાહની સેવામાં હતા, શેરશાહના નિધન બાદ ઈ.સ. 1573 માં અકબરની સેનામાં આવી ગયા હતા.

→ અકબરે ટોડમરલને નાણાં મંત્રી બનાવ્યા હતા.

→ અકબરે ટોડમરલને રાજાની ઉપાધિ પ્રદાન કરી હતી.

અબુલ ફઝલ

→ ફારસીના વિદ્વાન અને પ્રસિદ્ધ ઈતિહાસકાર હતા.

→ અબુલ ફઝલ શેખ મુબારકના પુત્ર તેમજ અકબરના દરબારી શાયર ફૈજીના નાના ભાઈ હતા.

→ અબુલ ફઝલે આઈન-એ- અકબરી અને અકબરનામા નામના બે ગ્રંથોની રચના કરી હતી.

માનસિંહ

→ અકબરના શાસનકાળનો સૌથી પ્રસિદ્ધ સેનાપતિ હતો.

હમીમ હુમામ

→ તેઓ શાહી પાઠશાળાના પ્રમુખ હતા.

અબ્દુર્રહીમ ખાન – એ – ખાના

→ મૂળ નામ : અબ્દુર્રહીમ

→ તેઓ અકબરના સંરક્ષક બૈરમખાંન ના પુત્ર હતા.

→ ઉપાધિ : ખાન –એ- ખાના

→ તેઓ કવિ અને સેનાપતિ હતા.

મુલ્લા દો પ્યાજા

→ પોતાની વાક્પટુતા માટે પ્રસિદ્ધ હતા.

→ ડુંગળી (પ્યાજ) ખૂબ જ પસંદ હોવાથી તેમને “મુલ્લા દો પ્યાજા” નામ આપવામાં આવ્યું હતું.

ફૈજી

→ તેમણે ગણિતના પુસ્તક “લીલાવતી” નો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.

→ તેઓ અબુલ ફજલના મોટા ભાઈ હતા.

તાનસેન

→ મૂળ ગ્વાલિયરના હતા.

→ પ્રસિદ્ધ સંગીતકાર હતા.

→ તાનસેન દિપક રાગ માટે જાણીતા હતા.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post