→ જૂનાગઢ અભિલેખમાંથી જાણવા મળે છે કે ગિરનારનના પ્રશાસક ચક્રપાલિત (પર્ણદત્તના પુત્ર) એ સુદર્શન સરોવરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.
હૂણો (મલેચ્છો)નું આક્રમણ
→ સ્કંદગુપ્તના એરણના અભિલેખ (ગાઝીપુર) હુણોના આક્રમણની માહિતી આપે છે.
→ તેના સમયમાં ભારતમાં વાયવ્ય સરહદે હૂણોનો ભય ઊભો થયો હતો.
→ સ્કંદગુપ્તે હૂણોને હરાવ્યા બાદ ભીતરીમાં એક વિષ્ણુ મંદિર અને સ્તંભલેખ.
→ ભીતરી અભિલેખ મુજબ એને “વિક્રમાદિત્ય” ની ઉપાધિ ધારણ કરી હતી.
અભિલેખ
→ જૂનાગઢમાંથી તેનો શૈલ્યલેખ મળી આવ્યો.
→ તેમાં સ્કંદગુપ્તના સુબા પર્ણદત્તે સુદર્શન તળાવ ફરી બંધાવ્યાનો ઉલ્લેખ છે.
→ જૂનાગઢનાં શૈલલેખથી સાબિત થાય છે કે તે પ્રજાપાલક રાજવી હતો.
→ સ્કંદગુપ્ત પરમભાગવત હતો.
→ તેનું અવાસન ઈ.સ. 467 માં થયું હતું.
અન્ય માહિતી
→ ઈતિહાસમાં સ્કંદગુપ્ત બાદ ગુપ્ત વંશના વારસદારોને ગૌણ ગુપ્તો કહે છે.
→ સ્કંદગુપ્તના અનુગામી ગૌણગુપ્ત રાજાઓમાં બુદ્ધગુપ્ત, વેનગુપ્ત, ભાનુગુપ્ત, નરસિંહગુપ્ત, બાલાદિત્ય, કુમારગુપ્ત બીજો અને અંતે વિષ્ણુગુપ્તનો સમાવેશ થાય છે.
→ સુરાષ્ટ્રના શાસન માટે સ્કંદગુપ્તે પર્ણદત્તની નિમણૂંક કરી હતી.
→ પર્ણદત્તે ગીરીનગરની રક્ષા માટે પોતાના પુત્ર ચક્રપાલિતને નિમ્યો.
→ જ્યારે ઈ.સ. 455માં વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં સુદર્શન તળાવનો બંધ તૂટી ગયો અને સુદર્શન તળાવ રહ્યું નહીં.
→ આવા સમયે ચક્રપાલિતે તે તળાવનું સમારકામ કરાવ્યું અને જળાશયને ફરીથી સુદર્શન બનાવ્યું.
→ સ્કંદગુપ્ત પછીના શાસકો અગાઉના શક્તિશાળી શાસકો જેવા શાસનકર્તા ન હોવાને કારણે (ઈ.સ. 550 સુધીમાં) ભારતમાં ગુપ્ત સામ્રાજયનું પતન થયું.
→ સ્કંદગુપ્ત ગુપ્ત વંશનો સૌથી છેલ્લો મહાન રાજા હતો.